મહેસાણા એલસીબીની ટીમ ઈન્ટરડિક્શન ઓપરેશનના ભાગરૂપે મોઢેરામાં હતી ત્યારે મોઢેરાથી મોઢેરા બોર્ડર પર નહેરના પુલ નજીકથી મીઠી ઘડિયાલ તરફ એક ગુપ્ત બાતમીના આધારે આદિવાડા ગામના ઈસમને પિસ્તોલ સાથે પકડી પાડ્યો હતો.
મહેસાણા એલસીબી ટીમના પીએસઆઈ એમ.ડી.ડાભી અને તેમની ટીમ મોઢેરા પંથકમાં દારૂબંધી ઝુંબેશમાં હતી, તે દરમિયાન એચસીઓ કિરણજી અને વિજયસિંહને બાતમી મળી હતી કે મીઠી ઘડિયાલ તરફ જતા રોડ પર નર્મદા કેનાલના પુલ પર એક શંકાસ્પદ વ્યક્તિ હોવાની બાતમી મળી હતી. તે પિસ્તોલ લઈને ઉભો છે. માહિતીના આધારે ટીમે સ્થળ પર જ જય ઇસમને પકડી લીધો હતો. પોલીસે બેચરાજી તાલુકાના આદિવાડા ગામના દેસાઈ હિતેશભાઈ હરગોવનભાઈને પકડી તેની પાસેથી એક પિસ્તોલ અને જીવતી કેટીજી નંગ 2 મળી કુલ રૂ.15,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર મામલે પીએસઆઈ એમ.ડી.ડાભીએ જણાવ્યું હતું કે, પકડાયેલ ઈસમ જમીન વેચવાના ધંધા સાથે સંકળાયેલો છે. અને દુશ્મનો વધી જતાં તેણે સ્વબચાવ માટે 2013માં વાપીમાંથી દસ હજાર રૂપિયામાં પિસ્તોલ ખરીદી હતી. તેમજ હાલમાં જપ્ત કરાયેલ પિસ્તોલ એફએસએલને તપાસ અર્થે મોકલવામાં આવી છે કે કેમ તે પિસ્તોલનો કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે કેમ અને હાલમાં આરોપીઓ સામે મોઢેરા પોલીસમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે પીએસઆઈ એમ.ડી.ડાભીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલો ઈસમ જમીન વેચવાના ધંધા સાથે સંકળાયેલો છે. અને દુશ્મનો વધી જતાં તેણે સ્વબચાવ માટે 2013માં વાપીમાંથી દસ હજાર રૂપિયામાં પિસ્તોલ ખરીદી હતી. તેમજ હાલમાં જપ્ત કરાયેલ પિસ્તોલ એફએસએલને તપાસ અર્થે મોકલવામાં આવી છે કે આ પિસ્તોલનો કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે કેમ અને હાલમાં આરોપીઓ સામે મોઢેરા પોલીસમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.