પાણીએ સમગ્ર વિશ્વમાં એક છેડેથી બીજા છેડા સુધી તબાહી મચાવી છે. ભારતના ઘણા રાજ્યોમાં અવિરત વરસાદે તારાજી સર્જી છે. એકલા હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે અને લગભગ 4000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અમેરિકાથી જાપાન સુધી પૂર આવ્યું છે. રસ્તાઓ તળાવોમાં ફેરવાઈ ગયા, પુલ તૂટી પડ્યા, સેંકડો મકાનો ધરાશાયી થયા.
ભારતના ઉત્તરી રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત અનેક ભાગોમાં સર્વત્ર પાણી જ પાણી છે. દિલ્હી ડૂબી ગયું છે અને યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી ગયું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. દેશના વિવિધ ભાગોમાં વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો મકાનોને નુકસાન થયું છે.