(GNS), નં.09
ગાંધીનગર
‘આઝાદિકા અમૃત મહોત્સવ’ એ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઉજવણી છે. સમાપન સમારોહ તરીકે આજે ગાંધીનગર જિલ્લાની વિવિધ શાળાઓમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ભારતના બહાદુર શહીદોના બલિદાનને બિરદાવતાના નારા સાથે રેલી કાઢી હતી. . આ રેલીમાં મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.