શ્રી નરેન્દ્રભાઈની સંકલ્પના હેઠળ 2005 થી શરૂ થયેલા કૃષિ ઉત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ.
રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની પ્રોત્સાહક હાજરી.
રાજ્યભરના 246 તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ – 2023’નો પ્રારંભ.
ઉત્સવનો હેતુ રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો અંગેની આધુનિક કૃષિ ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવાનો અને વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે સમજ આપવાનો છે.
રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદ, કૃષિ નિદર્શન, સેવા સેતુ કાર્યક્રમ અને વિવિધ કૃષિ યોજનાઓ માટે મંજુરી પત્રો અને સહાય ઓર્ડરનું વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
◆ કૃષિ ક્ષેત્રે પાછળ રહેલ ગુજરાતે આજે આ ક્ષેત્રે બે આંકડામાં વૃદ્ધિ હાંસલ કરી છે.
◆ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ, યોગ્ય આયોજન, યોજનાઓ અને બિયારણથી લઈને બજાર સુધીની પહેલના પરિણામે ખેડૂતો આધુનિક અને સ્માર્ટ ખેતી અપનાવી રહ્યા છે.
◆ લગભગ 2 કરોડ ખેડૂતોએ 15 કૃષિ ઉત્સવોમાં માર્ગદર્શન મેળવ્યું છે.