(GNS),તા.12
ગાંધીનગર
દિવાળીના તહેવાર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સવારે ગાંધીનગર નજીક મહુડી તીર્થ ખાતે ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં જઈને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ ઘંટાકરણ મહાવીરની આરતી કરી હતી અને આ યાત્રાધામ વિસ્તારનો વિશેષ પ્રસાદ સુખડીનો પ્રસાદ પણ લીધો હતો.
શ્રી ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. મહુડી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જૈન અગ્રણીઓ અને અધિકારીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.