સુરત શહેરમાં વીજ કરંટ લાગતા એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતકના પરિજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો છે. સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં છેલ્લા 24 કલાકથી મજૂરની લાશ પડી છે. મેટ્રો અધિકારીઓ પરિવારના સભ્યોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. તે મેટ્રો ઓપરેશનમાં હાઉસ કીપિંગનું કામ કરતો હતો