અભિનેતાને પૂછવામાં આવ્યું કે તમારી ફિલ્મો હંમેશા શૈક્ષણિક હોય છે. તેના પર તેણે કહ્યું કે, હું આવી ફિલ્મો એટલા માટે કરી રહ્યો છું કારણ કે મને લાગે છે કે આવા વિષયોને લોકોની સામે લાવવું જરૂરી છે. ભગવાને મને એટલું સારું પ્લેટફોર્મ આપ્યું છે કે હું ફિલ્મો કરી શકું છું અને મારી ફિલ્મો દ્વારા લોકોને કહી શકું છું કે આપણા દેશમાં શું થયું છે, જેમ કે કેસરી, સમ્રાટ પૃથ્વીરાજ કે અન્ય કોઈ ફિલ્મ.