ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
અમદાવાદ નજીક બાવળા-બગોદ્રા હાઈવે પર આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. મોડી રાત્રે આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કેમિકલ કંપનીમાં આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રિશા સ્પેશિયાલિટી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
બાવળા-બગોદ્રા હાઈવે પર આગની ઘટના અંગે મોડી રાત્રે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. જ્વલનશીલ પ્રવાહી હોવાને કારણે જ્યારે તેમાં આગ લાગી ત્યારે તે વિસ્ફોટ થયો હતો. ફેક્ટરીમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.