થરાદ તાલુકાના માદલ નાઝીવી પર તેના પિતરાઈ ભાઈએ પાવડા વડે હુમલો કર્યો હતો. થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રતાપભાઈના ઘર નજીકથી પસાર થતા વરસાદી પાણીના કારણે માટીનું ધોવાણ થતું હોવાથી તેઓ ત્યાં માટી સમતળ કરતા હતા. દરમિયાન તેમના પિતરાઈ ભાઈ નાથાભાઈ અને બાબુભાઈએ ત્યાં આવીને જમીન સમતળ કરવાની ના પાડતાં નાથાભાઈ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને પ્રતાપભાઈના માથામાં પાવડો માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેઓ સ્થળ પરથી નીકળી ગયા હતા અને પ્રતાપભાઈને સારવાર માટે 108 મારફતે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રતાપભાઇએ થરાદ પોલીસ મથકે તેમના પર થયેલા હુમલા અને ધમકીઓ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.