મોડાસા નગરના બાલાપીર દરગાહ વિસ્તારમાં પીવાનું શુધ્ધ પાણી મળતું ન હોવાની અને ત્રણ દિવસમાં માત્ર એક કલાક પાણી મળતું હોવાની ગૃહિણીઓએ ફરિયાદ કરી છે. ગૃહિણીઓએ બે કલાક અને તે પણ ચોખ્ખા પાણીની માંગણી કરી છે.
ચીફ ઓફિસર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે માજુમ ડેમમાં સમારકામની કામગીરી ચાલી રહી છે અને ઉનાળામાં પાણીની તંગીને ધ્યાનમાં રાખીને શહેરીજનોને પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જો ઓછો વરસાદ પડે તો નગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાંથી પાણી તળાવમાં ખસેડી શહેરવાસીઓને પાણી આપવાનું આયોજન કરાયું છે.