અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના મેદાનમાં 74મા જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં જંગલને બચાવીને જંગલી વનસ્પતિઓ મેળવવી, જંગલમાં વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવું અને વૃક્ષારોપણ કરવું જરૂરી છે. ઉપસ્થિત સૌને વૃક્ષો વાવી વૃક્ષો બચાવવા આહવાન કરવામાં આવ્યું હતું.