આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 9મી આવૃત્તિ ‘માનવતા માટે યોગ’ થીમ પર ઉજવણી કરાઈ હતી તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ લોકો સાથે જોડાયા અને નોઈડામાં યોગ કર્યા. આ યોગ દિવસ નિમિતે હેલ્થ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને હિમાચલ પ્રદેશના કાંગડા કિલ્લા પર યોગ કર્યા. ભારત સહિત સમગ્ર દુનિયામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે પણ બાલાસોરમાં ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિર પહોંચ્યા હતા. સીએમ યોગીએ અહીં આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈને અનેક યોગાસનો કર્યા હતા.