આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રથમ વખત પોલીસ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સમગ્ર રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર રાખી રહી છે. રથયાત્રામાં પ્રથમ વખત થ્રીડી મેપિંગ કરવામાં આવ્યું છે. આ માટે 3D મેપિંગ માટે 1600 ફૂટની ઊંચાઈ પરથી વિઝ્યુઅલ લેવામાં આવી રહ્યા છે. રથયાત્રાના રૂટનું શૂટિંગ વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સાથે જ પોલીસ કંટ્રોલ રૂમમાંથી તમામ સ્થળોની સ્થિતિની માહિતી લેવામાં આવી રહી છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ આધુનિક ટેકનોલોજીથી સજ્જ ડેશબોર્ડનું મોનિટરિંગ કર્યું હતું. ભારતમાં ઉજવાતા મુખ્ય ધાર્મિક તહેવારોની દેખરેખ રાખવાની આ એક પહેલ છે.