અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ત્યારે દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ અમરનાથ પહોંચે છે. રાજકોટ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એક ખાસ ટીમ શ્રદ્ધાળુઓની સેવા માટે અમરનાથ પહોંચી છે. જ્યાં તબીબોની આ ટીમ દ્વારા દર્દીઓને સેવા આપવામાં આવે છે.
દર વર્ષે જૂનના અંતમાં હિમાલયમાં બેઠેલા બરફીલા બાબા અમરનાથના દર્શન કરવા આવે છે. ત્યારે આ મુશ્કેલ યાત્રા દરમિયાન યાત્રિકો બીમાર પડે તો તેમની સારવાર માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશભરમાંથી ડોક્ટરોને મોકલે છે. 1 જુલાઈ, 2023થી શરૂ થનારી આ યાત્રામાં રાજકોટ જિલ્લાના ચાર ડોક્ટરો 18 દિવસ સુધી અમરનાથ યાત્રીઓની સેવા કરશે.
જેમાં જસદણ તાલુકાના કમલાપુર પીએચસીના મેડીકલ ઓફિસર, રાજકોટ તાલુકાના બેડલા પીએચસીના ડોકટર, ગડકા પીએચસીના ડો.હાર્દિક પટેલ, લોધીકા તાલુકાના પારડી પીએચસીના ડોકટર અને કમલાપુર પીએચસીના લેબ ટેકનીશીયન સેવા આપશે. જેમાં તેને પહેલગામથી બાલતાલ સુધીના 2 કિલોમીટરના અંતરે ઉભો કરવામાં આવ્યો છે. 45 મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યા છે.
હિમાલયમાં 13,000 ફૂટની ઉંચાઈએ, અગમ્ય પહાડો અને હાડકાં ભરી દેતી ઠંડીમાં મહાદેવના સાનિધ્યમાં બીમાર પડેલા યાત્રિકોને તાત્કાલિક સારવાર મળશે. કાશ્મીરની કડકડતી ઠંડીમાં બાલતાલ, ચંદનવાડીના તબીબો બેઝ કેમ્પના શ્રદ્ધાળુઓની સેવા કરશે. મોટાભાગના યાત્રિકોને પહેલગામ માર્ગે અમરનાથ દાદાની ગુફા પહોંચવામાં ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ અને બાલતાલ માર્ગે એક દિવસ લાગે છે. મોટાભાગના લોકો સામાન્ય થાકથી માંડીને શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થવા સુધીનો અનુભવ કરે છે.
આ સાથે ડાયાબિટીસના દર્દીઓનું ગ્લુકોઝ લેવલ પણ ઘટે છે. ત્યારે આવા દર્દીઓને આ મેડિકલ કેમ્પમાં પ્રથમ ઈમરજન્સી સારવાર મળે છે અને આગળની મુસાફરી કરી બરફીલા બાબાના આશીર્વાદ મેળવે છે.