રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બાંગ્લાદેશી યુવતીના સંપર્કમાં આવ્યા બાદ એક હિન્દુ યુવકે ધર્મ પરિવર્તન કર્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના નવાગઢના યુવકે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.
નવાગઢનો એક હિન્દુ યુવક ઈન્સ્ટાગ્રામ દ્વારા બાંગ્લાદેશની એક મુસ્લિમ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુટ્યુબ અને વેબસાઈટ દ્વારા યુવકનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. છેલ્લા 6 માસથી યુવકે ઇસ્લામ અંગીકાર કર્યાની માહિતી સામે આવતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. આ યુવકે પોતાનું હિન્દુ નામ બદલીને શેખ મોહમ્મદ અલસામી રાખ્યું છે.
એટલું જ નહીં યુવાનો જેતપુરની મસ્જિદમાં પાંચ વખત નમાઝ અદા કરવા જાય છે. આ મામલે યુવકના પરિજનોએ વિરોધ નોંધાવ્યો હતો. હાલ યુવક પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે યુવકના પરિવાર અને હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો છે અને આ ઘટનાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.