(GNS),07
હૃદયરોગના હુમલાની સતત વધી રહેલી સંખ્યાએ લોકોની ચિંતા વધારી છે. એક સમય એવો હતો જ્યારે માત્ર વૃદ્ધ લોકો જ હાર્ટ એટેકનો શિકાર બનતા હતા. પરંતુ હવે યુવાનો હાર્ટ એટેકથી મરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમા બે યુવકોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે. રાજકોટમાં જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકના કારણે એક યુવકનું મોત થયું હતું. જતીન સરવૈયા નામના 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
આ બિલ્ડીંગ રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે બનાવવામાં આવી હતી. જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જતીનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. જતીન સરવૈયા (ઉંમર 25)ના મોતથી પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. બીજી તરફ જેતપુરમાં એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જેતપુરમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા બનાવોને લઈને ચિંતા વ્યાપી છે. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા એક યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. વિજય મેઘનાર્થી નામના 26 વર્ષના યુવકનું મોત થયું છે. યુવાનને હૃદયરોગનો હુમલો આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.