રાજ્યમાં 7મી મેના રોજ તલાટીની પરીક્ષા લેવાનાર છે. આ અંગે રાજકોટ એસટી વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટમાં 200 કેન્દ્રો પર 55,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે ત્યારે આ ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચવામાં કોઈ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા 200 થી વધુ વધારાની બસો દોડાવવામાં આવશે.
રાજ્યમાં 7મી મેના રોજ તલાટીની પરીક્ષા લેવાનાર છે. આ અંગે રાજકોટ એસટી વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટ એસટી વિભાગે તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 200 થી વધુ વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટની વાત કરીએ તો અહીંના 200 કેન્દ્રો પર 55,000 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ ઉપરાંત જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં જેમના પરીક્ષા કેન્દ્રો આપવામાં આવ્યા છે તેવા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે આ રૂટ પર બસો પણ દોડાવવામાં આવશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે તલાટીની પરીક્ષા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તલાટીની પરીક્ષામાં કડક વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં કડક બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાવા જઈ રહી છે. ઉમેદવારોના કોલ લેટર સાથે વિડીયોગ્રાફી કરવામાં આવશે. સીસીટીવી સામે ઉભેલા ઉમેદવારોની વિડીયોગ્રાફી કરવામાં આવશે. પોલીસ અને ગુપ્તચર વિભાગ પરીક્ષા પર સતત ચાંપતી નજર રાખશે. ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ST અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે… ઉમેદવારો ગેરરીતિ અંગે 100 નંબર પર ફરિયાદ કરી શકે છે.