કુલ રૂ. 3352.25 લાખની સૈદ્ધાંતિક મંજૂરી
(GNS),તા.11
રાજકોટ,
રાજકોટ લોધીકા, રીબડા અને કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની હાલત ઘણા સમયથી ખરાબ હતી જેની જાણ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાને કરવામાં આવી હતી. જર્જરિત રસ્તાઓને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આથી આ ખરાબ રોડનું નવીનીકરણ, રિસરફેસિંગ અને મજબુતીકરણ માટે પ્રજા અને જનપ્રતિનિધિઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.
લોકો અને જનપ્રતિનિધિઓની રજુઆતને ધ્યાને લઇ મંત્રી શ્રી બાબરીયાએ ગ્રામ્ય વિસ્તારના લોકોની સલામતી અને સુવિધા માટે તાત્કાલિક આ બાબત મુખ્યમંત્રીના ધ્યાન પર લાવી હતી.
સર્વગ્રાહી વિકાસના નામે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોધિકા-થોરડી-પાટીયાળી રોડના અંદાજિત 12 કિલોમીટરના રસ્તા માટે રૂ. 575 લાખ અને અંદાજિત 31 કિલોમીટરના રસ્તાના નવીનીકરણ, મજબૂતીકરણ અને રિસરફેસિંગ માટે રૂ. 2777.25 લાખ મંજૂર કર્યા છે. લોધીકા-રીબડા-કોટડાસાંગાણી, સર્વાંગી વિકાસના નામે લોકોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરી લાખોની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી. આમ, કુલ 43 કિ.મી.ના રસ્તાઓ માટે કુલ રૂ. 3352.25 લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ-ગોંડલને જોડતા આ મુખ્ય માર્ગની આસપાસના વધુ 50 ગામોને તેનો લાભ મળશે.