તાજેતરમાં જ જામનગર અને જૂનાગઢમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાથી 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે રાજકોટમાં 1940માં બનેલી લાખાજીરાજ મેડિકલ બોયઝ હોસ્ટેલ પણ જર્જરિત હાલતમાં હતી. અહી છત પરથી પોપડા પડતા 5 જેટલા ઓરડાઓ સાવ જર્જરિત બની ગયા છે. આ ઉપરાંત અન્ય કેટલાક રૂમોમાં પણ પાણી પડી રહ્યા છે. જેના કારણે જૂની હોસ્ટેલમાં મેડીસીનનો અભ્યાસ કરતા ભાવિક ડોકટરો ભયના છાયામાં જીવી રહ્યા છે. આ વાતની જાણ થતાં કોંગ્રેસે અહીં રહેતા વિદ્યાર્થીઓને સલામત સ્થળે લઈ જવા અને હોસ્ટેલનું સમારકામ કરવા માંગ કરી છે.