રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને રાજસ્થાનના જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેનાથી દેશભરના રાજપૂત સમુદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અરવલી જિલ્લામાં પણ રાજપૂત સમાજે રેલી કાઢીને હત્યારાઓને ફાંસીની સજાની માંગ કરતી આવેદનપત્ર આપ્યું હતું.
રાજપૂત સમાજના સંગઠન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની રાજસ્થાનના જયપુરમાં તેમના નિવાસસ્થાને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અરવલી જિલ્લામાં પણ વિરોધ જોવા મળ્યો છે. જિલ્લા રાજપૂત સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.