રાજસ્થાનના બાડમેર નેશનલ હાઈવે નંબર 68 પર સ્કોર્પિયો અને અર્ટિગા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. એટલે ગાડી વળી. એર્ટિગામાં સવાર પાંચમાંથી ત્રણના અકસ્માતમાં મોત થયા હતા. ત્રણેય મૃતકો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના માલાલપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ત્રણેય કૌટુંબિક ભાઈઓ હતા. આ પૈકીના એક યુવકના ગયા મહિને લગ્ન થયા હતા. તેમજ બે પરિવારોએ એક-એક પુત્ર ગુમાવ્યો છે. જેના કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. ત્રણ યુવાનોના મોતથી ગામમાં ચકચાર મચી ગઈ છે.
આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ ખેરાલુ તાલુકાના માલાલપુર ગામના સંદીપ બાબુભાઈ ચૌધરી, સૌરભ વિજય ચૌધરી, વિશ્વાસ વીરસંગભાઈ ચૌધરી, ઉદયભાઈ રમેશભાઈ ચૌધરી, હિમાંશુ દેવેન્દ્રભાઈ ચૌધરી અર્ટિગા કાર નંબર GJ02DM5 118 માં રણુજા જઈ રહ્યા હતા. બાડમેર નેશનલ હાઈવે નંબર 68 પર લવકુશ વિદ્યાલય પાસે તેમની અર્ટિગા કાર નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો સાથે અથડાઈ હતી. ત્યારે એક ભયંકર અકસ્માત થયો. જેમાં બંને કારના ફુરચા ઉડી ગયા હતા.
આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ ખેરાલુ તાલુકાના માલાલપુર ગામના સંદીપ બાબુભાઈ ચૌધરી, સૌરભ વિજય ચૌધરી, વિશ્વાસ વીરસંગભાઈ ચૌધરી, ઉદયભાઈ રમેશભાઈ ચૌધરી, હિમાંશુ દેવેન્દ્રભાઈ ચૌધરી અર્ટિગા કાર નંબર GJ02DM5 118 માં રણુજા જઈ રહ્યા હતા. બાડમેર નેશનલ હાઈવે નંબર 68 પર લવકુશ વિદ્યાલય પાસે તેમની અર્ટિગા કાર નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો સાથે અથડાઈ હતી. ત્યારે એક ભયંકર અકસ્માત થયો. જેમાં બંને કારના ટાયર ફાટી ગયા હતા.