જયપુર.
સુખદેવ સિંહ ગોગામેડીને હુમલાખોરોએ શ્યામ નગર સ્થિત તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી હતી. હુમલાખોરો મીટિંગના બહાને ગોગામેડીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં વાતચીત દરમિયાન હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ હુમલામાં ગોગામેડી સાથે બેઠેલા લોકોને પણ ગોળી વાગી હતી. આ ફાયરિંગ બાદ કરણી સેના પ્રમુખને સારવાર માટે મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારે સુખદેવ સિંહ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુમલાખોરોમાંથી એક શાહપુરાના નવીન સિંહ શેખાવતનું હુમલાખોરો સાથેની ક્રોસ ફાયરમાં મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈએ થોડા મહિના પહેલા સુખદેવને મારી નાખવાની ધમકી આપી હતી.