તાલીમ, નિદર્શન, ટેલિફોનિક, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ખેડૂતોને યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવું.
બનાસકાંઠા જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસાના વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારે ખેડૂતોને પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ આગળ વધવામાં મદદ કરી છે. ખેડૂતોને યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપ્યું. પરિણામે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક મળી રહી છે. આ અંતર્ગત આજે સરદારકૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 19મા પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ વિસ્તરણ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં સન્માન પ્રમાણપત્ર અને 50,000 રૂપિયાની રોકડ રકમનો સમાવેશ થાય છે.