ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે અયોધ્યામાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સીએમએ રામ લલ્લાના દરબારમાં પૂજા-અર્ચના કરી હતી. આ સાથે તેમણે અયોધ્યા ધામમાં 1,090 કરોડ રૂપિયાની 411 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. સીએમ યોગીએ વિરાટ કિસાન મેળા અને કૃષિ પ્રદર્શનના સમાપન સમારોહમાં પણ ભાગ લીધો હતો.
હેલિપેડથી નીકળ્યા બાદ સીએમ યોગી સીધા હનુમાનગઢી મંદિર પહોંચ્યા, અને હનુમાન આરતી કર્યા બાદ દર્શન અને પૂજા કરી. આ પછી રામ મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ સીએમ યોગીએ ભગવાન રામલલાના દર્શન અને પૂજા કરી હતી અને દેશ અને રાજ્યની જનતાની સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.
આ દરમિયાન જનસભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે મંદિરના નિર્માણ બાદ 1 કરોડ ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે. હું પણ અહીં રામ નવમી મેળાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા આવ્યો છું. અયોધ્યામાં વિકાસને લઈને સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે હવે અયોધ્યામાં ફોર લેન સિક્સ લેન રોડ બનાવવામાં આવી રહ્યા છે. અયોધ્યાનો વેપાર 50 ગણો વધી ગયો છે. હવે આ ડબલ એન્જિન સરકાર તમારી સાથે છે.
જનસભાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું હતું કે, “વિકસિત ઉત્તર પ્રદેશ પીએમ મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે જરૂરી છે અને વિકસિત ઉત્તર પ્રદેશ માટે વિકસિત અયોધ્યા જરૂરી છે. જે કામ અયોધ્યામાં થયું છે તે સપા અને કોંગ્રેસ કરી શક્યા નથી.