દેશમાં કેટલાક નેતાઓની ગંદી રાજનીતિના કારણે દેશભરમાં અનેક દેખાવો થયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય ઘણી પાર્ટીઓમાં આ જોવા મળી રહ્યું છે. હાલમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઓબીસી મુદ્દે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભદ્ર નિવેદન આપ્યું છે. જેને લઈને રાજ્યભરના ભાજપના કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઈને ગુજરાત રાજ્યના તમામ ભાજપ સંગઠનો રાહુલ ગાંધી દ્વારા બોલાયેલા શબ્દોનો વિરોધ કરી રહ્યા છે.
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ભાજપ મંડળ બક્ષી પંચના કાર્યકરો અને અન્ય ભાજપના કાર્યકરો સાથે 51 શક્તિપીઠ સર્કલ ખાતે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું. અંબાજી ભાજપના તમામ કાર્યકરોએ સાથે મળીને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ રાહુલ ગાંધીએ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમના શબ્દો માટે માફી માંગવાની માંગ કરી હતી.
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ભાજપ મંડળ બક્ષી પંચના કાર્યકરો અને અન્ય ભાજપના કાર્યકરો સાથે 51 શક્તિપીઠ સર્કલ ખાતે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું. અંબાજી ભાજપના તમામ કાર્યકરોએ સાથે મળીને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ રાહુલ ગાંધીએ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમના શબ્દો માટે માફી માંગવાની માંગ કરી હતી.