અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે
આચારસંહિતા લાગુ પડતાની સાથે જ જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતોમાંથી પ્રચાર સામગ્રી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે પ્રથમ દિવસે 7028 પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી
(GNS),તા.17
અમદાવાદ,
ચૂંટણી પંચે લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખોની જાહેરાત કરતાની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આચારસંહિતા લાગુ થતાં જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આચારસંહિતા લાગુ પડતાની સાથે જ જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતોમાંથી પ્રચાર સામગ્રી દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલના ભાગરૂપે પ્રથમ દિવસે જ 7028 પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે.
પ્રથમ દિવસે જ અમદાવાદ શહેર અને જિલ્લામાં જાહેર મિલકતોમાંથી 3022 વોલ પેઈન્ટીંગ્સ, 767 પોસ્ટર્સ, 253 બેનરો અને 876 મીટર અન્ય પ્રમોશનલ મટિરિયલ્સ કુલ 4918 દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે 1142 વોલ પેઈન્ટિંગ્સ, 165 પોસ્ટર્સ, 429 બેનર અને અન્ય 374 મીટર કુલ 2110 પ્રમોશનલ મટિરિયલ ખાનગી મિલકતોમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ, કુલ 7028 પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે.
આ ઉપરાંત જાહેર મિલકત પરના 1063 અને ખાનગી મિલકત પરના 1170 પ્રચાર ગ્રંથો અને ડ્રોઈંગનો નાશ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે.