(રખેવાલ ન્યુઝ) પાલનપુર, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં 1309 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં 508 સ્ટેશનોને આવરી લેવાયા છે. જે અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશનને પણ ગુજરાતના 21 રેલ્વે સ્ટેશનો સાથે રીડેવલપ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 11 વાગ્યે રિમોટ કંટ્રોલ દ્વારા દેશભરના 508 સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. જે અંતર્ગત પાલનપુર સ્ટેશનનો પુનઃવિકાસ- લોકાર્પણ સમારોહ લોકસભા સાંસદ પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ પરબત ભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સતત વિકાસના કામો થઈ રહ્યા છે. જે અંતર્ગત આજે દેશભરના 508 સ્ટેશનોની સાથે પાલનપુર રેલવે સ્ટેશનની પણ કાયાપલટ કરવામાં આવશે. રેલવે સ્ટેશનની નવી સુવિધાથી પ્રવાસીઓની મુશ્કેલીઓ દૂર થશે. અને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ રેલવે સ્ટેશન જિલ્લા અને પાલનપુરની અલગ ઓળખ પ્રસ્થાપિત કરશે. તંત્રને લોકોની સમસ્યાઓની ખબર નથી અને તંત્ર અને સરકારને માહિતી આપીને લોકોના ભલા માટે પગલા ભરવામાં આવે છે. સામાન્ય માણસનું સૂચન પણ દેશનું ભાગ્ય બદલી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ દેશવાસીઓનો અવાજ છે. જનતાના પ્રતિનિધિ તરીકે આજે સબકા સાથ-સબકા વિશ્વાસ-સબકા પ્રયાસનું સૂત્ર સાર્થક બન્યું છે. આઝાદીના અમર કાળમાં પાણી, રોડ-રસ્તા, ખેતી, રોજગાર, શિક્ષણ ક્ષેત્રે અનેક કલ્યાણકારી યોજનાઓએ લોકોનું જીવન બદલી નાખ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાલનપુરમાં નવા રેલવે સ્ટેશનની સુવિધાથી લોકોની સમૃદ્ધિમાં વધારો થશે. મુશ્કેલીઓનો અંત આવશે અને સામાન્ય માણસ આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકશે. ત્યારે સ્થાનિક સ્તરે રોજગાર અને પરિવહનની સાથે પ્રવાસનને પણ વેગ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ દેશવાસીઓનો અવાજ છે. જનતાના પ્રતિનિધિ તરીકે આજે સબકા સાથ-સબકા વિશ્વાસ-સબકા પ્રયાસનું સૂત્ર સાર્થક બન્યું છે. આઝાદીના અમર કાળમાં પાણી, રોડ-રસ્તા, ખેતી, રોજગાર, શિક્ષણ ક્ષેત્રે અનેક કલ્યાણકારી યોજનાઓએ લોકોનું જીવન બદલી નાખ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાલનપુરમાં નવા રેલવે સ્ટેશનની સુવિધાથી લોકોની સમૃદ્ધિમાં વધારો થશે. મુશ્કેલીઓનો અંત આવશે અને સામાન્ય માણસ આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકશે. ત્યારે સ્થાનિક સ્તરે રોજગાર અને પરિવહનની સાથે પ્રવાસનને પણ વેગ મળશે.