(જીએનએસ) તા. 10
અમદાવાદ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવા ગુજરાત આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરીને આજે દિલ્હી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય પ્રથમ સચિવ શ્રી કે. કૈલાશનાથન, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, GAD ના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, રાજ્યના મુખ્ય પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી અને જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. વડાપ્રધાન સહિત વરિષ્ઠ અધિકારીઓએ તેમને ભાવુક વિદાય આપી.