વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં રહેતી એક માતાએ અગમ્ય કારણોસર પોતાની બે દીકરીઓને ઝેર આપીને હત્યા કરી હતી. ત્યારબાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે આસપાસના લોકોને જાણ થતાં માતાને બચાવી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં દક્ષાબેન ચૌહાણ નામની મહિલા ઘણા સમયથી ભાડે રહેતી હતી. તેમને એક 19 વર્ષની દીકરી અને બીજી નાની દીકરી હતી. દક્ષાબેન મિલનસાર સ્વભાવના હતા. ગતરાત્રે અગમ્ય કારણોસર દક્ષાબેને તેમની બંને વહાલસોયી દીકરીઓને જાણ કર્યા વગર ઝેરી દવા પીવડાવી લાંબા સમય સુધી સૂઈ ગયા હતા. બંને પુત્રીઓ મૃત્યુ પામ્યા હોવાની ખાતરી થતાં દક્ષાબેને પણ મોતને મીઠુ કરાવવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આસપાસના લોકોને જાણ થતાં જ તેઓ દક્ષાબેનના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અને કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં અક્ષતા સોસાયટી અને આજુબાજુના રહીશો પણ કુતુહલવશ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
એવું માનવામાં આવે છે કે અક્ષતા સોસાયટીમાં લાંબા સમયથી રહેતા દક્ષાબેન ચૌહાણની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, કારણ કે તેઓ ભાડે રહે છે અને બે દીકરીઓના ઉછેરની જવાબદારી તેમના પર છે. અને દીકરીઓને આનો માર સહન ન કરવો પડે એટલે તેણે પહેલી દીકરીઓની હત્યા કરીને પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો.