(GNS),17
વડોદરામાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. ત્યાં વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાવાથી માલસામાનને ભારે નુકસાન થયું છે. નદીમાં પાણી ઘૂસી જતાં દુકાનો અને મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ચાંદોદમાં મંદિરમાં નદીના પાણી ઘૂસી ગયા છે. ચાંદોધમાં ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નર્મદા ડેમમાંથી છોડાતા નદીનું પાણી ગામમાં પ્રવેશ્યું છે.
ચાંદોદ, ભીમપુરા, નાંદેરીયા, કરનાળી સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ચાંદોદમાં દુકાનો, મકાનો અને મંદિરોમાં એક માળ સુધી પાણી ભરાયા છે. એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકોને જીવના જોખમને કારણે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. જીવના જોખમે લોકોને બોટમાં લઈ જવામાં આવી રહ્યા છે. તો ભારે વરસાદને કારણે ઓરસંગ અને નર્મદા નદીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.