આગના કારણે કોમ્પ્લેક્સની અન્ય 12 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
વલસાડમાં ભીષણ આગથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન 5 લોકો દાઝી ગયા હતા. તેમાંથી એકનું મોત થયું છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે, તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ કેમિકલ વલસાડના અતુલ પાસે સુગર ફેક્ટરીની સામે આવેલા મણીબા કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં રાખવામાં આવ્યું હતું. આજે બપોરે કેમિકલની દુકાનમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી.
આગના કારણે કોમ્પ્લેક્સની અન્ય 12 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે 5 લોકો આગમાં દાઝી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિ દાઝી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આગની ઘટના અંગે વલસાડ ફાયર વિભાગની ટીમને જાણ થતાં વલસાડ ફાયર વિભાગની ટીમ અને અતુલ ફાયરની 4 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. વલસાડ નગરપાલિકાના પાલડી અને અતુલ સહિતની બે ફાયર ટીમો આવી પહોંચી હતી. હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. જ્યારે એકનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓએ બેથી ત્રણ કલાક સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.