(GNS),તા.03
વલસાડ
આ ઘટના વલસાડના રામ રોટી ચોક વિસ્તારમાં બની હતી. જેમાં એક અજાણ્યો ભિક્ષુક બે દિવસથી લાયબ્રેરીની સામે સૂતો હતો. ભિખારીમાં કોઈપણ પ્રકારની હલચલ દેખાતી ન હતી. સ્થાનિક લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ભિક્ષુક જેવા વ્યક્તિને બેભાન અવસ્થામાં સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું અકાળે મોત નિપજ્યું હતું. તે સમયે મૃતક પાસેથી 1.14 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ભિખારીનું મોત ભૂખના કારણે થયું હોવાની ચર્ચા છે. પરંતુ હવે તેની પાસેથી મળેલા લાખો રૂપિયા સમગ્ર વલસાડ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મૃતક પાસેથી મળી આવેલી રકમ પોલીસને સોંપવામાં આવી હતી.