શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાત છેલ્લા 20 વર્ષથી સમગ્ર દેશમાં રોજગાર આપવામાં નંબર-1 રહ્યું છે.
છેલ્લા એક વર્ષમાં વલસાડ જિલ્લામાં 16,246 નોકરીવાંચ્છુઓને રોજગારી આપવામાં આવી છે.
વિધાનસભામાં વલસાડ જિલ્લાના રોજગારના પ્રશ્નની માહિતી આપતાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ વડાપ્રધાને નવસારીથી પી.એમ. મિત્ર ટેક્ષટાઈલ પાર્કનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે ભવિષ્યમાં વધુ રોજગારીનું સર્જન થશે.
છેલ્લા એક વર્ષમાં વલસાડની જિલ્લા રોજગાર કચેરીએ એનર્જી પાર્ક પ્રોડક્શન, રેડીમેડ ગારમેન્ટ્સ, પ્લાસ્ટિક, રબર ઉદ્યોગ અને કેમિકલ ક્ષેત્રે નોકરી ઇચ્છુકોને રોજગારી પૂરી પાડી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર ભરતી મેળાઓ દ્વારા નોકરી શોધતા યુવાનોને કંપનીઓમાં સીધી રોજગારી પૂરી પાડે છે.