બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સાતત્ય જોવા મળ્યો છે. વાવ તાલુકાના કારેલી ગામની સીમમાંથી પસાર થતી નાની કેનાલમાં તિરાડ પડતા કેનાલનું પાણી નજીકના ખેતરોમાં વહી ગયું હતું. ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી કેનાલમાં ગાબડાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. વાવના કારેલી ગામ પાસે કારેલી માઈનોર કેનાલમાં તિરાડ પડી હતી. કેનાલમાં મોટું ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે ખેડૂતોના વાવેલા પાક બરબાદ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા પણ વાવ પંથકના રાણેસરી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કારણે કેનાલની આજુબાજુના ખેતરોમાં ગાબડું પડ્યું હતું જેના કારણે કેનાલની આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.