(GNS),તા.22
ગાંધીનગર,
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ પહોંચેલી વિકાસ ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોરે સરકારની ઉપલબ્ધિઓનું વર્ણન કર્યું હતું. તેમણે છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓના ફળ પહોંચાડવાનો સંકલ્પ દર્શાવ્યો હતો. ખાનવેલની બિરસા મુંડા સ્કૂલના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રીનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાનવેલ પંચાયત વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે રથનું નિરીક્ષણ કર્યું હતું અને યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહક ટ્રોફીનું વિતરણ પણ કર્યું હતું. યાત્રાની ખાસ વાન અને પ્રચાર સાહિત્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની યોજનાની માહિતી આપવા તેમણે વિભાગ દ્વારા આયોજિત કેમ્પની મુલાકાત લીધી હતી અને આરોગ્ય વિભાગના સ્ટોલ પર મેડિકલ તપાસ કરાવી હતી.