(GNS),07
વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલના પ્રાંગણમાં વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના સંચાલક શ્રી મહેશ ભવાઈ પ્રજાપતિ સાહેબ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ભરત ભવાઈ સાહેબ, પ્રાથમિક વિભાગના આચાર્ય અજીત ભવાઈ સાહેબ તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. . આ કાર્યક્રમમાં ગામના સરપંચ અશોકજી સોલંકી સાહેબ અને તલાટી જયરાજસિંહ વાઘેલા સાહેબે હાજરી આપી સમગ્ર શાળા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વડા ડો. કુલદીપસિંહ સિસોદીયા સાહેબે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.