સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વના સૌથી મોટા હીરા બજારનું ઉદ્ઘાટન કરશે. દિગ્ગજ હીરા ઉદ્યોગકારો, દેશ-વિદેશની કંપનીઓના સીઈઓ સહિતના મહાનુભાવો સુરત આવશે. સુરત ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ કમિટીએ ભવ્ય ઉદઘાટનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.