અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવા અપીલ કરી હતી. જે અંતર્ગત વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ વિસનગર શહેરના પટણી દરવાજા વિસ્તારમાં મહાકાલેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રોડથી થોડે પહેલા જ સ્વચ્છતા ઝુંબેશ નિરર્થક જોવા મળી રહી છે. જેમાં મંદિરના પ્રવેશદ્વારની સામે જ કચરાના ઢગલા દેખાય છે. તેમજ ગાયોને આ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટીક ખાવાની ફરજ પડી રહી છે. આવા સંજોગોમાં મંદિરની સામેના કચરાના ઢગલા તંત્ર દ્વારા સાફ કરવામાં આવે તેવી ભાવિક ભક્તોમાં માંગ ઉઠી રહી છે.અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના અભિષેકનો પવિત્ર અવસર આગામી તા. 22મી. જાન્યુઆરી. આ સંદર્ભમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14/01/2024 થી 22/01/2024 સુધી દેશભરના તમામ નાના-મોટા ધર્મસ્થાનોની સાર્વત્રિક સફાઈ કરવાનું આહ્વાન કર્યું છે. જેમાં વડાપ્રધાનના આહ્વાન છતાં વિસનગરમાં ધાર્મિક સ્થળો આગળ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેમાં પટણી દરવાજા વિસ્તારમાં આવેલ મહાકાલેશ્વર મંદિર તરફ જતા રોડ પર કચરાના ઢગલા જોવા મળે છે. જેના કારણે કચરાના ઢગલામાંથી પણ દુર્ગંધ ફેલાઇ છે.
જેમાં મંદિરે દર્શન અને પૂજા માટે આવતા ભાવિક ભક્તો ગંદા પાણી અને કચરાના કારણે પરેશાન થઇ રહ્યા છે. કચરાના ઢગલામાં પ્લાસ્ટિક હોવાના કારણે ગાયોને પણ પ્લાસ્ટિક ખાવાની ફરજ પડી છે. તો અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તે જ દિવસે વિસનગરમાં પણ રામ મંદિરનો વધુ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં મહાકાલેશ્વર મંદિર જવાના માર્ગ પરના કચરાના ઢગલા હટાવીને સફાઈ કરવામાં આવે તેવી ભક્તો માંગ કરી રહ્યા છે.