શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયમાં અમૃત મોહોત્સવ અંતર્ગત છાત્ર શક્તિ વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર તાલુકાની 45 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નાના બાળકોને મોબાઈલ ફોનથી દૂર અને મેદાની રમતો તરફ પ્રેરિત કરવા આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રમતો તેમજ પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.મોબાઈલના આ યુગમાં નાના બાળકો મેદાનમાં યોજાતા રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોને ભુલવા લાગ્યા છે અને બાળકો હંમેશા મોબાઈલમાં વ્યસ્ત રહે છે. જેમાં અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયમાં નાના બાળકોને મોબાઈલ ફોનથી દૂર રહીને મેદાની રમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને મેદાનની રમતમાં ખેલદિલી વિકસાવવા માટે છાત્ર શક્તિ વંદના પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લોકગીત, લોકવાર્તા, એકપાત્રી નાટક, મંત્ર-ચોપાઈ-શ્લોક ગાયન અને લંગડા દોડ, 100મી દોડ, શોટ પુટ, ઉંચી કૂદ અને લાંબી કૂદ સહિતની રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસનગર તાલુકાની 45 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ટાસ્કમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર અને રમતોમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ વિદ્યાર્થીઓની અનન્ય શક્તિઓને બહાર લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં શિક્ષણ બોર્ડના ચેરમેન કે.કે.ચૌધરી, મંત્રીઓ વી.વી.ચૌધરી અને જે.ડી.ચૌધરી, અન્ય અધિકારીઓ ખુમજીભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી વગેરે આચાર્યો અને શિક્ષકો જોડાયા હતા. વિદ્યાર્થીઓ અને મિત્રો હાજર રહ્યા હતા.