વિસનગરના અખિલ અંજના કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય અમૃત મોહોત્સવના 75 વર્ષની ઉજવણી કરી રહી છે. જેમાં અમૃત મોહોત્સવ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતૃ સંસ્થાનું ઋણ ચુકવવા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય અમૃત મોહોત્સવના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. જેમાં આદર્શ શાળાને આધુનિક બનાવવા માટે નવી ઇમારત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આદર્શ વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પ્રમુખ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં દાન આપનાર તમામ દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળા કેન્દ્રમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં ડો. રોહિતભાઈ દેસાઈ, કુલપતિ હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, હરિભાઈ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર સી.કે.પટેલ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડૉ.રીટાબેન પટેલ, પ્રમુખ કે.કે.ચૌધરી સહિત બોર્ડના સભ્યો, શાળાના આચાર્ય દિનેશભાઈ ચૌધરી અને મોટી સંખ્યામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહ્યા હતા.