વિસનગર તાલુકાના દેણપ ગામે વારંવાર રજુઆતો કરવા છતાં ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આધેડ લોકોએ તાલુકા વિકાસ અધિકારીને આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેમાં આત્મવિલોપનના ડરથી વહીવટી તંત્ર અને પોલીસ ભાગવા લાગ્યા હતા. જેમાં વહીવટી તંત્ર અને પોલીસની ઘણી સમજાવટ બાદ નવી પાઈપલાઈન નાંખીને પાણી આપવાનું શરૂ કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
તાલુકાના દેણપ ગામના વણકરવાસમાં રહેતા શ્રીમાળી હરગોવનભાઈ કુબેરદાસે પંચાયત સમક્ષ ફરિયાદ કરી હતી કે મહોલ્લામાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ગંદુ પાણી આવી રહ્યું છે. શ્રીમાળી હરગોવનભાઈએ 05/02/2024 ના રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી હતી, જેમાં વિનંતી કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેમાં તેણે બુધવાર 07/02/2024 ના રોજ આત્મહત્યા કરવાની ધમકી આપી છે. સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી અને હરગોવનભાઈના ઘરે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડ તૈયાર રાખવામાં આવી હતી.
તાલુકાના દેણપ ગામના વણકરવાસમાં રહેતા શ્રીમાળી હરગોવનભાઈ કુબેરદાસે પંચાયત સમક્ષ ફરિયાદ કરી હતી કે મહોલ્લામાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ગંદુ પાણી આવી રહ્યું છે. શ્રીમાળી હરગોવનભાઈએ 05/02/2024 ના રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી હતી, જેમાં વિનંતી કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેમાં તેણે બુધવાર 07/02/2024 ના રોજ આત્મહત્યા કરવાની ધમકી આપી છે. સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી અને હરગોવનભાઈના ઘરે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડ તૈયાર રાખવામાં આવી હતી.