હોમ લોન લેનારાઓ માટે સારા સમાચાર: જો તમે પણ નવી કાર અથવા નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. 8 ફેબ્રુઆરીએ આરબીઆઈએ તેની નવી નાણાકીય નીતિ જાહેર કરી છે. જેમાં રેપો રેટ પહેલાની જેમ 6.5 ટકા પર યથાવત છે. તેથી ગ્રાહકોના લોનના હપ્તા સસ્તા થયા નથી. પરંતુ આરબીઆઈએ લોન લેનારા નવા ગ્રાહકોને રાહત આપી છે. જેમાં નવા લેનારા ગ્રાહકોએ લોન લેતી વખતે ડોક્યુમેન્ટેશન, પ્રોસેસિંગ ફી અને અન્ય પ્રકારના ચાર્જીસ ચૂકવવાના રહેશે નહીં. આ દરેક શુલ્ક તેમની લોન પરના વ્યાજમાં ઉમેરવામાં આવશે.
પારદર્શિતા જાળવવા નિર્ણય લેવાયો
પ્રોસેસિંગ ચાર્જ અંગે ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે લોન લેતી વખતે ગ્રાહકોએ શરૂઆતમાં પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આનાથી તેમની લોનનો ખર્ચ વધે છે અને તેઓ જાણતા નથી કે તેમની લોન પર ખરેખર કેટલું વ્યાજ ચૂકવવું પડશે. તેથી, હવેથી બેંકોએ નવી ગ્રાહક લોન પરના વ્યાજમાં દસ્તાવેજીકરણ, પ્રોસેસિંગ ફી અને અન્ય શુલ્ક સામેલ કરવા જોઈએ જેથી પારદર્શિતા જળવાઈ રહે.
હવેથી, પ્રોસેસિંગ ફીથી લઈને દસ્તાવેજીકરણ ચાર્જ સુધીની તમામ વિગતો ગ્રાહકોને ‘કી ફેક્ટ સ્ટેટમેન્ટ’માં આપવામાં આવશે. આ વિગતો તમામ પ્રકારની રિટેલ લોન અને MSME લોન માટે ફરજિયાત હશે.