બનાસકાંઠા જિલ્લાના સરધી પંથક અને થરાદ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું થરાદમાં સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં તેમના સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદના દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવા માટે હેલિકોપ્ટર દ્વારા ઈમરજન્સી સેવા શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
હજુ પણ થરાદ, વાવ, ભાભર સહિતના વિસ્તારના લોકોને પાલનપુર અમદાવાદ સહિતની હોસ્પિટલોની સેવામાં ઇમરજન્સી કેસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો આ હેલિકોપ્ટર સેવા શરૂ થશે તો સરહદી વિસ્તારના તમામ લોકોને ફાયદો થશે. આ અંગે શંકર ચૌધરીએ કહ્યું કે, મેં વિચાર્યું છે કે ઈમરજન્સીમાં ઘણા લોકોને હોસ્પિટલ લઈ જવા પડે છે. 2 કલાકમાં પહોંચી શકાતું નથી. તાત્કાલિક હોસ્પિટલમાં જવાની જરૂર છે. અમદાવાદથી થરાદ સુધી હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવાની જરૂર છે.
હજુ પણ થરાદ, વાવ, ભાભર સહિતના વિસ્તારના લોકોને પાલનપુર અમદાવાદ સહિતની હોસ્પિટલોની સેવામાં ઇમરજન્સી કેસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો આ હેલિકોપ્ટર સેવા શરૂ થશે તો સરહદી વિસ્તારના તમામ લોકોને ફાયદો થશે. આ અંગે શંકર ચૌધરીએ કહ્યું કે, મેં વિચાર્યું છે કે ઈમરજન્સીમાં ઘણા લોકોને હોસ્પિટલ લઈ જવા પડે છે. 2 કલાકમાં પહોંચી શકાતું નથી. તાત્કાલિક હોસ્પિટલમાં જવાની જરૂર છે. અમદાવાદથી થરાદ સુધી હેલિકોપ્ટર સેવાની વ્યવસ્થા કરવાની જરૂર છે.