ભગવાન વિષ્ણુ અને તુલસીજીના લગ્નની યાદમાં આજે દેશભરમાં તુલસી વિવાહ મનોરથની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભગવાન શામળાજીના મંદિરે તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આજે કારતક સુદ અગિયારસનો દિવસ છે, એટલે કે ભગવાન વિષ્ણુએ નિંદ્રામાંથી જાગીને ભગવાન તુલસીજી સાથે લગ્ન કર્યા છે. તેમની સ્મૃતિમાં આજે યાત્રાધામ શામળાજી ખાતે ભવ્ય તુલસી વિવાહ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી, ભગવાન વિષ્ણુના વિશેષ રીતે તૈયાર કરાયેલા રથ પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક વેશભૂષામાં સજ્જ ભકતો કુંડાતા શોભાયાત્રામાં જોડાયા હતા અને બેન્ડના વાદકો સાથે ડાન્સ કર્યો હતો. ભગવાનના લગ્ન માટે ફૂલોથી શણગારેલા મંદિર પરિસરમાં ભગવાનના લગ્ન ચાલી રહ્યા છે.
શામળીયા ભગવાનના દર્શન કરવા મંદિરના ગર્ભગૃહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. ભગવાન કાલિયા ઠાકરને પણ અનોખી રીતે શણગારવામાં આવ્યો હતો. સોના જડિત મુગટ અને હીરા જડિત સોનાનો હાર સહિતની જ્વેલરી ભગવાનના સ્વરૂપને અર્પણ કરવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહને અનોખી રોશની સાથે કેળાના પાનથી પણ શણગારવામાં આવ્યું છે. આમ, ભગવાન શામળીયાના નિવાસ સ્થાને તુલસી વિવાહની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.