કારતક મહિનાની અગિયારશ દિવસથી ભગવાન જાગે છે અને બીજા દિવસથી પૂનમ સુધી ઉત્સવો ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આજે યાત્રાધામ શામળાજી ખાતે પિતૃઓના દર્શન અને મોક્ષાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આજે કારતક માસની પૂર્ણિમાનો દિવસ એટલે કે દેવદિવાળી. કારતક માસમાં અગિયારસથી પૂનમ સુધી મેળો ભરાય છે. આજે કાર્તિકી મેળાનો છેલ્લો દિવસ હતો. જેથી ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્ય બન્યા હતા.
શામળાજીમાં મેસ્વો તળાવ પાસે ઐતિહાસિક નાગધરો કુંડ છે. આ તળાવમાં ભક્તો સ્નાન કરે છે. નાગધરો કુંડ પાસે, ભક્તો તેમના મૃત પૂર્વજોને તર્પણ અર્પણ કરીને પિતૃમોક્ષ વિધિ કરે છે. આમ કાર્તિકી પૂર્ણિમાની આસ્થા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.