ગુજરાત સરકાર શિક્ષણ અભિયાનને લઈને મોટી મોટી વાતો કરી રહી છે. પરંતુ આ સરકારની મોટી-મોટી બાબતો માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. કારણ કે ડેડીયાપાડા અને સાગબારાની 29 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. જે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય.
એક તરફ સરકાર શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરી રહી છે. બીજી તરફ 29 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ થતાં તેમણે આ મામલે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે ડેડિયાપાડા અને સાગબારાની 29 શાળાઓમાં એક શિક્ષક ભણાવી રહ્યા છે. તેમજ 54 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે?
ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું:-
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે 13/06/23 ના રોજ સાગબારા તાલુકાના જાવલી ગામે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી આવવાના છે. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવતા પહેલા ડેડીયાપાડા અને સાગબારમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી મુખ્યમંત્રીએ માંગણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી અંતરિયાળ વિસ્તારોમાં મોટાભાગની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે. જો ગુજરાત સરકાર આ તમામ બાબતો પર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં મોટા આંદોલનના સંકેત પણ ધારાસભ્યએ આપ્યા છે.