સતલાસણામાં ચાર લોકો અંદરોઅંદર લડી રહ્યા હતા. ત્યારબાદ સમગ્ર લડાઈ જોયા બાદ ચૌધરી દીપક નામનો શખ્સ નજીકમાં દુકાન ધરાવતા હર્ષદકુમાર પટેલ અને કિરણ પટેલને બચાવવા આવ્યો હતો અને પટેલ હર્ષદભાઈ અને કિરણભાઈ પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
જ્યાં અન્ય બે વેપારીઓને પણ ઈજા થઈ હતી. બાદમાં ચૌહાણ જયવીરસિંહ નામના શખ્સે દુકાનમાં પડેલી ખુરશીઓ ઉપાડી વેપારી મનોજ પટેલને માર મારવાનો પ્રયાસ કરતાં તેની આંખ પાસેની ખુરશી મારીને ઇજા કરી હતી. આ ચારેય લોકો એક થઈને વેપારીને મારતા હતા અને અન્ય ધંધાર્થીઓને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ચાર અસામાજિક તત્વોના હુમલામાં ત્રણ વેપારીઓને ઈજા થઈ હતી. જેમાં અન્ય ધંધાર્થીઓ પોતાના વાહનોમાં ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેને વધુ સારવાર માટે વડનગર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઉપરાંત ધંધાર્થીઓને કોઈ વાત કરવા રોકે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા દીપક માનસંગ ચૌધરી, જયવીરસિંહ ચકુસિંહ ચૌહાણ, જસપાલ અને કુદરત પરમાર નામના શખ્સો સામે સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ચાર અસામાજિક તત્વોના હુમલામાં ત્રણ વેપારીઓને ઈજા થઈ હતી. જેમાં અન્ય ધંધાર્થીઓ પોતાના વાહનોમાં ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેને વધુ સારવાર માટે વડનગર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઉપરાંત ધંધાર્થીઓને કોઈ વાત કરવા રોકે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા દીપક માનસંગ ચૌધરી, જયવીરસિંહ ચકુસિંહ ચૌહાણ, જસપાલ અને કુદરત પરમાર નામના શખ્સો સામે સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.