બેઠકમાં ઠાકોર સમાજના વિકાસ અને ઉત્થાન અંગે ચર્ચા કરીને સમાજના યુવાનોને શૈક્ષણિક અને સામાજિક રીતે આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ડીસામાં અખિલ ક્ષત્રિય ઠાકોર સમરા મંડળ પ્રેરિત ઠાકોર સમાજ સમરા મંડળ દ્વારા જલારામ મંદિર બિલ્ડીંગ ખાતે ચિંતન શિબિર અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઠાકોર સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોર સમાજમાંથી નશાની લત દૂર કરવા, શિક્ષણ વધારવા અને સમાજના યુવાનોને રમતગમત, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ પણ યુવાનો સાથે વાતચીત કરી સમાજના વિકાસ માટે મક્કમ સંકલ્પ લીધો હતો.