(GNS),03
સલંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ સમગ્ર વિવાદમાં હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે આરએસએસનો પ્રવેશ થયો છે. RSSએ આ વિવાદને ખતમ કરવા દરમિયાનગીરી કરી છે. આરએસએસના રામ માધવેએ સંતો સાથે બેઠક યોજી છે.
રામ માધવે સલંગપુરની મુલાકાત લીધી છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના ઋષિ-મુનિઓ સાથે બેઠક યોજી છે. મ્યુરલ પેઈન્ટિંગના વિવાદ વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલમાં આરએસએસમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહ્યા છે. રામ માધવ આરએસએસની અખિલ ભારતીય કારોબારીના સભ્ય છે. તેમણે મંદિર પ્રશાસન સાથે 15 થી 20 મિનિટ સુધી મુલાકાત કરી.