પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર નેશનલ હાઈવે પર બેફામ વાહન ચાલકોના કારણે અવારનવાર માર્ગ અકસ્માતો સર્જાય છે. જેમાં રોજે રોજ અનેક નિર્દોષ લોકોના મોતના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.સોમવારે સવારે સાતલપુર હાઇવે પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે રોડ ક્રોસ કરી રહેલા એક યુવાન રાહદારીને પસાર થતા ટેન્કરના ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. સ્થળ
આ માર્ગ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ સાતલપુરના જાડેજા પરિવારનો યુવાન સોમવારે વહેલી સવારે સાતલપુર હાઈવે પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે હાઈવે પરથી પૂરઝડપે આવી રહેલા ટેન્કરના ચાલકે યુવાનને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. . અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પરિણામે હાઇવે પર વાહનોની કતારો લાગી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ સાતલપુર પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાહનવ્યવહારને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો. લાશને 108 મારફત સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
અકસ્માતના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પરિણામે હાઇવે પર વાહનોની કતારો લાગી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ સાતલપુર પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાહનવ્યવહારને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો. લાશને 108 મારફત સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.